
કોના ઉપર કમિશન મોકલવું તે બાબત
(૧) તે સાક્ષી જેને આ સંહિતા લાગુ પડતો હોય તેવા પ્રદેશોમાં હોય તો જે ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટની સ્થાનિક હકૂમતમાં તે સાક્ષી રહેતો હોય તેને કમિશન મોકલવું જોઇશે.
(૨) તે સાક્ષી ભારતમાં હોય પરંતુ જેને આ સંહિતા લાગુ પડતો ન હોય તે રાજય કે વિસ્તારમાં હોય તો કેન્દ્ર સરકાર આ માટે જાહેરનામાંથી નિદિષ્ટ કરે તે ન્યાયાલયને કે અધિકારીને કમિશન મોકલવું જોઇશે.
(૩) તે સાક્ષી ભારતની બહારના કોઇ દેશમાં કે સ્થળે હોય અને કેન્દ્ર સરકારે તે દેશની કે સ્થળની સરકાર સાથે ફોજદારી બાબતો સબંધમાં સાક્ષીઓનો પુરાવો લેવાની ગોઠવણ કરી હોય તો કેન્દ્ર સરકાર આ માટે જાહેરનામાંથી ઠરાવે તે નમુનામાં કમિશન કાઢવું જોઇશે અને તેવા ન્યાયાલય કે અધીકારી ઉપર કાઢેલું હોવું જોઇશે અને તેવા સતાધિકારીને રવાના કરવા માટે મોકલવું જોઇશે.
Copyright©2023 - HelpLaw